શોધખોળ કરો

T20 WC: રોહિતને મળી ચાંદીની વર્લ્ડકપ ટ્રૉફી, જાણો ક્યારે મળે છે ગૉલ્ડ અને સિલ્વર ટ્રૉફી

T20 World Cup 2024: ગુરુવારે સવારે ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપની ટ્રૉફી સાથે દિલ્હી પહોંચી કે તરત જ દરેક જગ્યાએથી ઇન્ડિયા-ઇન્ડિયા નારાથી દિલ્હી ગુંજી ઉઠ્યુ હતુ

T20 World Cup 2024: ગુરુવારે સવારે ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપની ટ્રૉફી સાથે દિલ્હી પહોંચી કે તરત જ દરેક જગ્યાએથી ઇન્ડિયા-ઇન્ડિયા નારાથી દિલ્હી ગુંજી ઉઠ્યુ હતુ. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટ્રૉફી લઈને એરપોર્ટની બહાર આવ્યો અને આખી ટીમ ઉત્સાહમાં જોવા મળી. આ દરમિયાન દરેકની નજર સિલ્વર કલરની વર્લ્ડકપ ટ્રોફી પર હતી જે ભારતીય ટીમે ભારે મહેનતથી જીતી હતી.

તમે પણ આ ટ્રોફી વર્લ્ડકપ દરમિયાન ઘણીવાર જોઈ હશે, પરંતુ શું તમારા મગજમાં ક્યારેય એ વિચાર આવ્યો છે કે આ ટ્રોફી સિલ્વર કલરની કેમ છે, કારણ કે ઘણીવખત વર્લ્ડકપની ટ્રોફી ગૉલ્ડન કલરની હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે તેની પાછળનું તર્ક શું છે અને ટ્રોફી ક્યારે સિલ્વર અને ક્યારે ગૉલ્ડન રાખવામાં આવે છે.

શું છે આની પાછળનું લૉઝીક ? 
વાસ્તવમાં, વર્લ્ડકપ ટ્રોફીના કલરમાં મહત્વનો તફાવત સોના અને ચાંદીનો છે. ખરેખર, ટી20 વર્લ્ડકપની ટ્રોફીમાં સોનાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ ટ્રોફી ચાંદી અને રૉડિયમની બનેલી છે. વળી, ODI વર્લ્ડકપની ટ્રોફી સોના અને ચાંદીની બનેલી છે, જેના કારણે તેનો રંગ સોનેરી છે. આવી સ્થિતિમાં 50 ઓવરની મેચોના વર્લ્ડકપમાં મળેલી ટ્રોફી ગોલ્ડન છે. વળી, ટી20 મેચોના વર્લ્ડકપમાં મળેલી ટ્રોફી સિલ્વર કલરની છે.

ટી20 વર્લ્ડકપની ટ્રૉફીમાં શું છે ખાસ ? 
તમને જણાવી દઈએ કે આ ટ્રોફી ચાંદી અને રૉડિયમના મિશ્રણથી બનાવવામાં આવી છે. ટ્રોફીનું વજન લગભગ 7 કિલો અને ઊંચાઈ 51CMની આસપાસ હોવાનું કહેવાય છે.

કોની પાસે રહેશે ટ્રૉફી ? 
વર્લ્ડકપની મુખ્ય ટ્રોફી ખેલાડીઓને આપવામાં આવતી નથી. મૂળ ટ્રોફી IIC પાસે રહે છે અને પ્રતિકૃતિ ટ્રોફી ટીમને આપવામાં આવે છે. ટીમના ખેલાડીઓ આ ટ્રોફી પોતાની પાસે રાખતા નથી અને ક્રિકેટ બોર્ડ તેને પોતાની પાસે રાખે છે. જેમ આ વખતે પણ ભારતે વર્લ્ડકપ જીત્યો છે, તો હવે આ ટ્રોફી બીસીસીઆઈ પાસે રાખવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ 29 જૂને રમાયેલી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે બ્રિજટાઉન (બારબાડૉસ)ના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડકપ જીત્યો. વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ગુરુવારે સવારે દિલ્હી પહોંચી અને હૉટલમાં ગયા બાદ હવે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે વડાપ્રધાનના ઘર 7, લોક કલ્યાણ માર્ગ પર પહોંચી ગઈ છે, જ્યાં તે પીએમ મોદીને મળશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget