શોધખોળ કરો

અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!

દોઢ વર્ષમાં સેન્સેશનલ ક્રાઈમમાં ઘટાડો, ભૂતકાળમાં બંધ થયેલી ગુનેગારોને બોલાવવાની પ્રક્રિયા ફરી શરૂ, કાયદાનું ભાન કરાવવા ડિમોલિશનની કાર્યવાહી પણ ચાલુ રહેશે.

Ahmedabad police action: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસે હાલમાં શહેરમાં 1481 જેટલા અસામાજિક તત્વોની સૂચિ તૈયાર કરી છે, જેમાં 303 બુટલેગરો સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે છેલ્લા દોઢ વર્ષમાં સેન્સેશનલ ક્રાઈમમાં ઘટાડો થયો હોવાનું પણ જણાવ્યું હતું.

પોલીસ કમિશનર મલિકે માહિતી આપતા જણાવ્યું કે તૈયાર કરવામાં આવેલી યાદીમાં જુગારમાં સંડોવાયેલા 21, શરીર સંબંધિત ગુનાઓમાં 687, મિલકત સંબંધિત ગુનાઓમાં 424 અને એનડીપીએસ તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલા 46 આરોપીઓનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ચેઇન સ્નેચિંગના 60, વાહન ચોરીના 139, મોબાઈલ સ્નેચિંગના 70, શરીર સંબંધિત ગુનાના 8, લૂંટ અને ઘરફોડના 4 અને અન્ય ચોરીના 72 આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ તમામ ગુનેગારોને ગુના છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે અને દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં આ પ્રક્રિયા ચાલુ રહેશે.

પોલીસ કમિશનરે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં સેન્સેશનલ ક્રાઈમની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. તેમણે ખાડિયામાં થયેલી 50 તોલા સોનાની લૂંટ જેવા સંવેદનશીલ કેસ અને રાજકોટ તથા અમદાવાદમાં સીસીટીવી હેક થવાના કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીની પણ પ્રશંસા કરી હતી.

તેમણે ભૂતકાળમાં બંધ થયેલી એક પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જ્યારે તેઓ અહીં હતા ત્યારે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવવામાં આવતા હતા અને ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ તેમની પૂછપરછ કરતા હતા. છેલ્લા 12 વર્ષથી આ પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી, જેને હવે ફરીથી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય આરોપીઓ ક્યાં રહે છે, તેમની આવક શું છે અને તેઓ શું કરે છે તેની માહિતી મેળવવાનો છે.

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે પોલીસ કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ વધુ સારું કામ કરશે. હવે કાયદાનો ભય રહે તે રીતે કામ કરવામાં આવશે. તેમણે પોલીસમાં થયેલી મોટા પાયે ભરતી અંગે પણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા 105 વર્ષમાં પોલીસમાં આટલી મોટી ભરતી ક્યાંય થઈ નથી. તેમણે 24 હજાર જેટલા યુવા કર્મચારીઓની ભરતી કરી છે, જેમને પ્રોત્સાહિત કરીને વધુ સારું કામ લેવામાં આવશે.

ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે તેમના ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. કાળુ ગરદન, મુસીર અને મનપસંદ જીમખાના જેવા ઘણા ગુનેગારોના ડિમોલિશન કરવામાં આવ્યા છે અને આ કામગીરી સતત ચાલુ રહેશે. તેમણે આશા વ્યક્ત કરી કે જે લોકો પાસામાં સંડોવાયેલા છે તેઓ પણ સુધરશે. વસ્ત્રાલ ઘટનાના મુખ્ય આરોપીને પકડવા માટે પણ પોલીસ કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

પોલીસ કમિશનરે જણાવ્યું કે બે વર્ષ પહેલાં ડીસીપી કક્ષાનું રોડ પેટ્રોલિંગ નિયમિત રીતે થતું ન હતું, પરંતુ હવે સપ્તાહમાં બે વાર તે કરવામાં આવે છે. તેમણે વર્ષ 2024 ની સરખામણીમાં આ વર્ષે ગુનાઓમાં ઘટાડો નોંધાયો હોવાનું પણ જણાવ્યું હતું. તાજેતરમાં પેટ્રોલ પંપ પર માર મારવાનો જે કિસ્સો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો, તેમાં પણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે સોશિયલ મીડિયાને પણ વધુ સક્રિય થવાની અપીલ કરી હતી અને જરૂર પડ્યે તેમની સામે કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી.

પોલીસ કમિશનર દરરોજ બપોરે 12 થી 2 વાગ્યા સુધી ઓફિસમાં બેસે છે અને લોકોની ફરિયાદો સાંભળે છે. શરૂઆતમાં કેટલાક લોકો પોલીસનો ઉપયોગ કરીને પૈસા પડાવવા માટે ખોટી ફરિયાદો કરતા હતા, પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે અને પોલીસ યોગ્ય રીતે કામ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે પોલીસ સ્ટેશન પર જ ગુનો નોંધવામાં આવે છે અને પોલીસ દ્વારા જ તેની તપાસ કરવામાં આવે છે. તેમણે જોયું કે પકડાયેલા મોટા ભાગના આરોપીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના છે અને છેલ્લા 4 વર્ષમાં જ ગુનાઓમાં સંડોવાયા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ કમિશનર મલિકે પોલીસની કામગીરીને ખૂબ સારી ગણાવી હતી અને ડિટેક્શન વધુ થાય તથા પોલીસની કામગીરીમાં વધુ સુધારો થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ગુનેગારોને બોલાવીને સમજાવવામાં આવી રહ્યા છે કે તેઓ ગુનાઓ ન કરે અને જો તેઓ ગુનો કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. દર રવિવારે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવવામાં આવશે, જેના કારણે તેમનામાં કાયદાનો ડર રહેશે અને તેઓ ગુનાઓ કરતા ખચકાશે. ડિમોલિશનની કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું કે જો કોઈ ગુનેગારે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો તેને દૂર કરવામાં આવશે અને આ કામગીરીમાં પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને બંદોબસ્ત પૂરો પાડે છે અને જરૂરી માહિતી આપે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs RR Live Score:  હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
SRH vs RR Live Score: હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarkantha News | હિંમતનગરમાં લોકોએ કાયદો લીધો હાથમાં, શખ્સને ચોર સમજી સ્થાનિકોએ માર માર્યોSokhada Swaminarayan sect conflict: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત લાવવા યોજાઈ મૌન રેલીDeesa News : તલવાર સાથે વીડિયો બનાવવો યુવકને પડ્યો ભારે, પોલીસે મંગાવી માફીVadodara News : ડભોઇમાં પેસેન્જર ભરવા મુદ્દે ઇકા ચાલાકો વચ્ચે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs RR Live Score:  હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
SRH vs RR Live Score: હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
Embed widget