શોધખોળ કરો

Share Market: માર્કેટમાં આ શેરે મચાવી ધમાલ, એક જ વર્ષમાં થઇ ગયો ડબલ, શું તમારી પાસે છે ?

આજે 30 જાન્યુઆરી, 2024ના રોજ ટાટા મૉટર્સનો શેર તેની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. કંપનીનો શેર મંગળવારે 5 ટકા વધીને BSE પર 886.30ના સ્તરે પહોંચ્યો હતો

Tata Motors Share Market News: આજે એટલે કે, માર્કેટમાં ભારત ચઢાવ-ઉતાર રહ્યો છે, આજે કારોબારી દિવસના અંતે શેર માર્કેટમાં 800 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક રોકાણકારો માટે સારા સમાચાર પણ મળ્યા છે. 

આજે 30 જાન્યુઆરી, 2024ના રોજ ટાટા મૉટર્સનો શેર તેની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. કંપનીનો શેર મંગળવારે 5 ટકા વધીને BSE પર 886.30ના સ્તરે પહોંચ્યો હતો. NSE પર ટાટા મોટર્સનો શેર 885.95ના સ્તરે પહોંચ્યો હતો. મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર, કંપનીના શેરમાં વૃદ્ધિનું મુખ્ય પરિબળ જગુઆર લેન્ડ રોવર (JLR)નું રેકોર્ડ વેચાણ છે. આ ઉપરાંત કંપની દ્વારા પેસેન્જર વ્હિકલના ભાવમાં થયેલા વધારાએ પણ તેના શેરના વધારાને ટેકો આપ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 3.159 લાખ કરોડ સાથે મારુતિ સુઝુકીના માર્કેટ કેપને પાછળ છોડી ગયું છે.

છેલ્લા એક મહિનામાં ટાટા મોટર્સના શેરમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. બજાર બંધ થયું ત્યાં સુધી ટાટા મોટર્સનો શેર NSE પર 2.12 ટકાના વધારા સાથે રૂ. 858.85 પર બંધ રહ્યો હતો. બજાર અપેક્ષા રાખી રહ્યું છે કે FY24 ના ત્રીજા ક્વાર્ટર માટે કંપનીના નાણાકીય આંકડાઓ ઉત્તમ રહેશે. કંપની 2 ફેબ્રુઆરીએ તેના નાણાકીય આંકડા જાહેર કરી શકે છે.

એક પણ રૂપિયો ખર્ચ્યા વિના દર મહિને હજારો રૂપિયા કમાવાની તક, મોદી સરકાર આપી રહી છે બમ્પર સબસિડી

ભારત સરકારે આગામી કેટલાક મહિનામાં દેશના એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સોમવારે અયોધ્યાથી પરત ફર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, 'મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના' શરૂ કરશે. આનાથી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે નહીં પરંતુ ભારત ઉર્જા ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનશે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે હવે આ યોજના 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના' હેઠળ આગળ વધશે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા ઘરમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાવવા માંગો છો, તો આ તક ગુમાવશો નહીં. કારણ કે, આ યોજનાથી લોકોની આવક તો વધશે જ પરંતુ વીજળીની પણ બચત થશે.

તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 3 કિલોવોટ ક્ષમતાની સોલર પેનલ લગાવવા માટે 40% સબસિડી આપે છે. જો તમે 10 કિલોવોટની ક્ષમતા ધરાવતો સોલાર પ્લાન્ટ લગાવવા માંગો છો, તો તમને 20% સબસિડી મળશે.

આ યોજના સંબંધિત રાષ્ટ્રીય પોર્ટલ વર્ષ 2022 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ વેબસાઈટ દ્વારા સામાન્ય લોકો પણ ઓનલાઈન અરજી કરી શકે છે અને તેમના ઘરમાં સોલાર પ્લાન્ટ લગાવી શકે છે. આ માટે તમારે જરૂરી માહિતી આપવી પડશે. રાજ્યનું નામ, વીજળી બિલ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને તમે કઈ વીજળી વિતરણ કંપનીના ગ્રાહક છો તેની માહિતી જેવી માહિતી આપવાની રહેશે.

આ યોજના હેઠળ, સામાન્ય શ્રેણીના અરજદારોને 3 કિલો વોટ સુધી પ્રતિ કિલો વોટ 18000 રૂપિયાની સબસિડી મળી રહી છે. સ્પેશિયલ કેટેગરીના અરજદારોને પ્રતિ કિલો વોટ 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ સબસિડી માત્ર 10 કિલો વોટ સુધીના રૂફટોપ સોલર પ્લાન્ટ માટે છે. સબસિડી બાદ દેશમાં સોલાર પ્લાન્ટ લગાવવા પાછળ 70-80 હજારથી 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી પછી પણ પૈસા નથી, તો તમે બેંકમાંથી લોન લઈને આ વ્યવસાય શરૂ કરી શકો છો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget