Budget: ગરીબો પર સરકાર મહેરબાન, રાહતદરે તેલ-કઠોળ-ખાંડ સહિતનું વિતરણ કરાશે, “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”માં મોટી જોગવાઇ
Gujarat Budget 2025: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ બજેટ રજૂ કરતાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંગે ખાસ જોગવાઇ કરી છે

Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં બજેટ વાંચવાનુ શરૂ કરી દીધુ, જેમાં ગરીબ વર્ષને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓની સાથે કલ્યાણલક્ષી કામો કરવાની વાત કરી છે. આ માટે સરકારે મોટા પ્રમાણમાં રૂપિયાની જોગવાઇઓ કરી છે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરતાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંગે મોટી જાહેરાત કરી છે.
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ બજેટ રજૂ કરતાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંગે ખાસ જોગવાઇ કરી છે. કનુ દેસાઇએ બજેટ ભાષણમાં જણાવ્યું કે, “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. અને હવે આ કાર્યમાં વધારો કરવામાં આવશે, વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે. આ બજેટમાં રાજ્ય સરકાર કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકી રહી છે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
મંત્રી કનુભાઇ દેસાઇએ બજેટમાં અન્ય જાહેરાતો પણ કરી....
આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે.સખી સાહસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે ગત વર્ષ કરતા 21 ટકા ના વધારો કરાયો છે. આ વર્ષના બજેટમાં 8200 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે સેન્ટ્રલાઈઝ કિચન માટે 551 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આંગણવાડી યોજના માટે 274 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિરસા મુંડાની 150 મીંજનમજયંતી જન જાતીય ગૌરવ વર્ષ માટે 1100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યુ કે “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવી છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹617 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કનુ દેસાઈ લાલ રંગના કપડાની પોથીમાં બજેટની કોપી રાખી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લાલ રંગના કપડા પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પ્રદર્શિત કરાઈ છે. આદિવાસી વરલી પેઈન્ટિંગ, લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા છે. ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરત કામ, હસ્તકલા, ખેડૂત અને પશુપાલન, જંગલ અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા કરવામાં આવશે. મહત્ત્વનું છે કે 2024-25ના બજેટનું કદ 3 લાખ 32 હજાર 465 કરોડ હતું.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
