શોધખોળ કરો

મોમોઝના શોખિન ચેતજોઃ મોમોઝ ગળામાં ફસાઈ જતાં વ્યક્તિનું મોત, ડૉક્ટરોએ આપી આ સલાહ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોમોઝ ખાવાથી કોઈનું મૃત્યુ થઈ શકે છે? આવો જ ચોંકાવનારો કિસ્સો દિલ્હીમાં બન્યો છે.

દિલ્હીઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોમોઝ ખાવાથી કોઈનું મૃત્યુ થઈ શકે છે? આવો જ ચોંકાવનારો કિસ્સો દિલ્હીમાં બન્યો છે. દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એક વ્યક્તિના પોસ્ટમોર્ટમમાં ગળા પાસે મોમોઝ ચોંટેલા જોવા મળ્યા હતા. શ્વાસનળી પાસે મોમોઝ ફસાઈ જવાનેથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી અને આ કારણે વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

પોસ્ટ મોર્ટમમાં ચોંકાવનારો ખુલાસોઃ
મોમોઝ ખાવાથી થયેલા મૃત્યુ અંગે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ફોરેન્સિક વિભાગે ખુલાસો કર્યો છે. AIIMS હોસ્પિટલના જણાવ્યા અનુસાર, શ્વાસનળીમાં મોમોઝ ફસાઈ જવાને કારણે કોઈ વ્યક્તિનું મોત થયું હોય તેવો દેશમાં પહેલો કેસ સામે આવ્યો છે. ડૉકટરોના મતે, વિશ્વભરમાં 12 લાખમાંથી એક વ્યક્તિનું મૃત્યુ ખોરાક ખાતી વખતે ગળામાં કંઈક ફસાઈ જવાને કારણે પણ થઈ શકે છે. મળતી માહિતી મુજબ મોમોઝ ખાતી વખતે મૃત્યુ પામેલા આ વ્યક્તિની ઉંમર આશરે 50 વર્ષ જણાવવામાં આવી રહી છે. મૃત્યુ બાદ વ્યક્તિને એઈમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ડૉક્ટરોનું કહેવું છે કે આ વ્યક્તિ દક્ષિણ દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં મોમોઝ ખાતો હતો. તે જ સમયે અચાનક જમીન પર પડી અને મૃત્યુ પામ્યો. ઘટના બાદ પોલીસે તેને એમ્સમાં દાખલ કરાવ્યો હતો.

પોસ્ટમોર્ટમમાં ડોક્ટરોને તેના ગળામાં ફસાયેલો મોમોઝ મળ્યો અને પેટમાં આલ્કોહોલની માત્રા પણ મળી આવી, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ મોમોઝ ખાતી વખતે નશાની હાલતમાં હતો અને તે મોમોઝ ગળી ગયો હોવો જોઈએ જેથી તે ગળામાં ફસાઈ ગયો હશે. ફોરેન્સિક વિભાગના તબીબોનું કહેવું છે કે, આ કેસ ખૂબ જ દુર્લભ છે. દેશમાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે જેમાં ગળામાં મોમોઝ ફસાઈ જવાથી કોઈ વ્યક્તિનું મોત થયું હોય.

ભોજન કરતી વખતે સાવચેત રહોઃ
જો કે, કેટલીકવાર ખોરાક લેતી વખતે, આપણા ગળામાં કંઈક ફસાઈ જાય છે, જેના પછી આપણને ઉધરસ આવે છે. આવી સ્થિતિમાં, આપણે શીખ લેવી જોઈએ કારણ કે ક્યારેક તે જીવલેણ બની શકે છે. જો ગળામાં કે શ્વાસનળી પાસે કોઈ વસ્તુ ફસાઈ જાય તો શ્વાસ અટકી જાય છે અને જીવ પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં મોમોસ અથવા કોઈપણ વસ્તુને સારી રીતે ચાવીને ખાઓ, સીધું ગળીને ન ખાઓ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget