શોધખોળ કરો

હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...

Himachal Pradesh Cloudburst: હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદનો 'યલો' એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાد પડી રહ્યો છે.

Himachal Pradesh Cloudburst: હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં વાદળ ફાટવાથી મોટી તબાહી થઈ છે. જેના કારણે ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. ઘણા લોકોના ગુમ થવાની માહિતી છે. હાલમાં, આ લોકોની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના મંત્રી વિક્રમાદિત્ય સિંહે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આ ઘટનામાં લગભગ 50 લોકોના મૃત્યુની આશંકા છે. તેમણે કહ્યું, સત્તાવાર સંખ્યાની જાહેરાત રેસ્ક્યૂ ઓપરેશન પૂરું થયા બાદ જ કરી શકાય છે.

હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે આ સમયે સરકારની સૌથી મોટી જવાબદારી મૃતદેહોને બહાર કાઢવાની છે. સાથે જ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્ક પુનઃસ્થાપિત કરવાનો છે. વાસ્તવમાં, બુધવારે (31 જુલાઈ) રાત્રે હિમાચલ પ્રદેશના કુલ્લુ, મંડી અને શિમલામાં વાદળ ફાટવાથી પૂર આવ્યું, જેમાં લોકોને ઘણું નુકસાન થયું. પૂર એટલું ભયાનક હતું કે હિમાચલનું સમેજ નામનું એક ગામ સંપૂર્ણપણે વહી ગયું. જોકે, સરકાર તરફથી આ ઘટનામાં 8 લોકોના મૃત્યુની માહિતી છે.

ભારે વરસાદને કારણે રાજ્યમાં 190થી વધુ રસ્તાઓના માર્ગો બ્લોક થયા

હિમાચલ પ્રદેશ કટોકટી સંચાલન કેન્દ્રનું કહેવું છે કે રાજ્યમાં જે 191 રસ્તાઓ પર વાહનોની અવરજવર અટકી ગઈ છે. તેમાંથી 79 માર્ગો મંડીમાં, 38 કુલ્લુમાં, 35 ચંબામાં અને 30 શિમલામાં છે. જ્યારે, કાંગડામાં 5, કિન્નૌર અને લાહૌલ અને સ્પીતિ જિલ્લાઓમાં બે-બે રસ્તા માર્ગો પર વાહનવ્યવહાર અવરોધાયો છે.

IMDએ હિમાચલમાં 7 ઓગસ્ટ સુધી જારી કર્યો ભારે વરસાદનો એલર્ટ

આ દરમિયાન હવામાન વિભાગે આગામી 7 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશ માટે યલો એલર્ટ જારી કરતાં ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખૂએ રાજ્યમાં અચાનક આવેલા પૂરથી પ્રભાવિત તમામ પરિવારોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે સીએમ સુખ્ખૂએ કહ્યું કે પૂર પીડિતોને આગામી 3 મહિના માટે ભાડા માટે 5,000 રૂપિયા મહિને આપવામાં આવશે. સાથે જ ગેસ, ખોરાક અને અન્ય જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવશે.

ગુમ થયેલા લોકોની શોધમાં જોડાયેલી ટીમો

પૂરમાં ગુમ થયેલા લોકોની શોધ માટે બચાવ કાર્ય સતત ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે સેના, NDRF, ITBP, SDRF, CISF, પોલીસ અને હોમગાર્ડની ટીમના કુલ 410 બચાવકર્મીઓ ડ્રોનની મદદથી શોધ અભિયાનમાં સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Embed widget