શોધખોળ કરો

Rice : ટામેટાએ ભારતને રડાવ્યું પણ હવે ચોખા આખી દુનિયાને રડાવશે

આ વખતે વિશ્વભરમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, તેથી જ ભારતે હવે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

Rice Crisis : દુનિયામાં રોટલી ખાનારા કરતા ચોખા ખાનારા લોકોની સંખ્યા વધુ છે. ભારતમાં પણ તમને એવા ઘણા લોકો જોવા મળશે કે, જેઓ દિવસમાં એક વખત ભાત ન ખાય તો સંતોષ અનુભવતા નથી. જો કે હવે ભાતના શોખીન લોકોને મુશ્કેલી પડશે. કારણ કે, આ વખતે વિશ્વભરમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, તેથી જ ભારતે હવે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 

આ પ્રતિબંધને કારણે દેશની બહાર રહેતા ભારતીય લોકો ભારતીય ચોખા ખાઈ શકશે નહીં. જેના કારણે અમેરિકા અને કેનેડાના માર્કેટમાં હોબાળો મચી ગયો છે. ત્યાં રહેલા એનઆરઆઈએ હવે બજારમાંથી ભારતીય ચોખા ખરીદવા અને સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી તેઓ ભવિષ્યમાં તેનો સ્વાદ માણી શકે.

આ ચોખાની કટોકટી શા માટે થઈ રહી છે?

અત્યારે સમગ્ર વિશ્વ ચોખાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ફિચ સોલ્યુશન્સે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું હતું કે, મોટા ચોખા ઉત્પાદક દેશોમાં ચોખાના ઉત્પાદનમાં ઝડપથી ઘટાડો થયો છે. તેના કરતાં આગામી સમયમાં ચોખાના ઉત્પાદનનો ગ્રાફ નીચો જાય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને ચીન, અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં ચોખાનું ઉત્પાદન પહેલા કરતા ઘણું ઓછું થયું છે. ઉલ્લેખનીય છે કે, ફિચ સોલ્યુશન્સના કોમોડિટી એનાલિસ્ટ ચાર્લ્સ હાર્ટના જણાવ્યા અનુસાર, આ વર્ષે બજારમાં લગભગ 18.6 મિલિયન ટન ચોખાની અછત છે.

ઉત્પાદનના અભાવ પાછળનું કારણ શું? 

ચોખાના ઉત્પાદનના અભાવના મુખ્ય કારણોની વાત કરીએ તો રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન અને પાકિસ્તાન જેવા ચોખા ઉત્પાદક દેશોમાં ખરાબ હવામાન અને જળવાયુ પરિવર્તન મુખ્ય કારણો છે. હવે જ્યારે વિશ્વમાં ચોખાની અછત છે ત્યારે ભારતના વેપારીઓ સારા ભાવે ચોખાની વિદેશમાં નિકાસ કરશે. પરંતુ જો આ નિકાસ વધશે તો દેશમાં ચોખાના ભાવ આસમાને પહોંચી જશે. આ કારણોસર, સરકારે પહેલાથી જ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે કે, હવે ચોખા ભારતની બહાર જઈ શકશે નહીં અને ભારતમાં તેની કિંમતો વધારે નહીં વધે.

ભારતમાં ચોખાનું ઉત્પાદન કેટલું?

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2021-22માં 129,471 ટન ચોખાનું ઉત્પાદન થયું હતું. જ્યારે વર્ષ 2022-23માં ભારતમાં ચોખાનું ઉત્પાદન લગભગ 136,000 ટન હતું. જ્યારે 2023-24માં આ ઉત્પાદન  134,000 ટન થયું હતું. જો કે, આ હોવા છતાં ભારતની સ્થિતિ બીજા દેશો કરતા સારી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget