શોધખોળ કરો

Gandhinagar: આંદોલનમાં ઘેરાયેલ ગુજરાત સરકારની મુશ્કેલી વધી, જાણો હવે ક્યા કર્મચારીઓ ઉતર્યા વિરોધમાં

ગાંધીનગર: આંદોલનમાં ઘેરાયેલ ગુજરાત સરકારની મુશ્કેલીમાં વધુ એક વધારો થશે. હાલમાં ગાંધીનગર ખાતે રાજ્યના અનેક સરકરી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે વધુ એક આંદોલનના મંડાણ થયા છે.

ગાંધીનગર: આંદોલનમાં ઘેરાયેલ ગુજરાત સરકારની મુશ્કેલીમાં વધુ એક વધારો થશે. હાલમાં ગાંધીનગર ખાતે રાજ્યના અનેક સરકરી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે વધુ એક આંદોલનના મંડાણ થયા છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા ઓપીડીના સમય વધારાને લઈ ઈંટર્ન ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગર જીએમઈઆરએસ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઈંટર્ન ડોક્ટર્સ વિરોધ નોંધાવ્યો છે.

 

નવા ઓપીડીના સમયને સમર્થન ન આપવાની જાહેરાત ડોક્ટરોએ કરી છે. દર્દીઓને નવા ઓપીડીના સમયના કારણે અસર થશે તેમ ડોક્ટરો કહી રહ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની ઘટના કારણે ઓપીડી સમય વધવાથી દાખલ દર્દીઓને અસર થશે. ઈંટર્ન ડોક્ટર પહેલેથી જ વધારે ડ્યુટીના સમયથી ડોક્ટર માનસિક અને શારીરિક અસર થઈ શકે છે. ઈંટર્ન ડોક્ટરોના મતે ઓપીડીના વધારે સમયથી તેમના શિક્ષણ પર પણ અસર થશે.

 સરકાર સામે કર્મચારીઓનો મોરચો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારની મુશ્કેલીઓ વધી છે. સરકારે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સંગઠનોના આંદોલનોને ડામવા કમિટી બનાવી હોવા છતાં કોઈ પરિણામ આવી શક્યુ નથી.  આજે પાટનગર ગાંધીનગર મા વિવિધ સરકારી કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે. વન રક્ષકો, વર્ગ ૪ ના કર્મચારીઓ, VCE તથા આરોગ્ય કર્મિઓ, પૂર્વ સૈનિકો આંદોલનના માર્ગે છે તો કિસાન સંઘ પણ પડતર માંગણીઓ ને લઈ અચોક્કસ મુદ્દતના દેખાવો કરી રહ્યા છે. જૂની પેંશન યોજના ન મળતા  2005 પછી ભરતી થયેલા સરકારી કર્મચારીઓ બેઠક કરશે. નિવૃત્ત આર્મિ જવાનો પણ કરી રહ્યા છે દેખાવો. સરકાર સામે આંદોલન કરી રહેલા ઉમેદવારોને સમજાવવા પડકાર છે.

ગાંધીનગરમા VCE કર્મચારીઓનું પણ આંદોલન  છે. Vce કર્મચારીઓ પોતાની માંગણી માટે કરી રહ્યા છે આંદોલન. 10 થી વધુ દિવસથી આંદોલનને લઈ કર્મચારીઓ એ કામગીરી બંધ કરી છે. અગાઉ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ને આવેદન આપી ચુક્યા છે. કરોડો રૂ ની ગ્રાન્ટ સરકાર આપતી હોવા છતાં ઇ ગ્રામ સોસા. દ્વારા vce ના હિત માં કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા અને તેમને ખોટી રીતે છુટ્ટા કરવામાં આવતા હોવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. પંચાયત મંત્રી સાથે અનેક બેઠકો કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આ ઉપરાંત વડાપ્રધાન ના જન્મદિવસે  vce કર્મચારીઓએ રામધૂન..ભજન કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આજે મોટી સંખ્યામાં વહેલી સવારે vce કર્મચારીઓ સચિવાલય પહોંચ્યા અને ધરણા કર્યા.

22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર

ગુજરાત સરકાર હાલમાં એક પછી એક આંદોલનનો સામનો કરી રહી છે. જો કે રાજ્ય સરકારની ચિંતા હજુ વધવાની શક્યતા છે. કારણ કે, હવે એસટી નિગમનું સંગઠન સરકારની સામે પડ્યું છે. પોતાની 13 અલગ અલગ માંગણીઓના પડતર પ્રશ્નના ઉકેલ લાવવા ત્રણ સંગઠન મેદાને પડ્યા છે. ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડલ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ હવે સરકાર સામે કેટલીક માગો રાખી છે. 13 માંગણીઓના પ્રશ્ન મામલે 22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર છે.

ત્રણેય સંગઠનોની મુખ્ય માગણીઓ ઉપર નજર કરીએ તો,

  • ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પેમાં વધારો અમલી
  • મોંઘવારી ભથ્થા પેટે 17 ટકાની ચુકવણી કરાઈ નથી
  • વર્ષ 1997 બાદ ભથ્થામાં કોઈ સુધાર નહિ
  • એસટીના કર્મચારીઓને સાતમા પગા પંચનો લાભ
  • હક્ક રજાની રોકડમાં ચુકવણીની પણ સરકાર સામે માગ
  • રોજમદાર,બદલી કામદાર અને વર્ગ 4ના કામદારોને એક્સગ્રેસીયા બોનસનો લાભ મળે

સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ

ગુજરાતમાં હાલ આંદોલનનનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓના મંડળોએ સરકાર સામે મોરચો માડ્યો છે. આંદોલનના ચક્રવ્યૂમાં ફસાયેલ રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. વિવિધ માંગણીઓને લઈને હવે ચોથા વર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચ માંડ્યો છે. વિવિધ માગોને લઈને આવતીકાલે ચોથા વર્ગના કર્મચારી ધરણા પ્રદર્શન કરશે. વર્ગ 4ના કર્મચારીઓની નિયમિત ભરતી, જૂની પેંશન સ્કીમ, 7મા પગારપંચના ભથ્થાઓનો લાભ, વય નિવૃત્તિ 60થી વધારી 62 કરવી, વર્ગ ચારના કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને તેઓ ધરણા પર ઉતરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget