શોધખોળ કરો

Chhota Udepur Corona Crisis: ચિચોડની ઉતર બુનિયાદી સ્કૂલના 12 વિદ્યાર્થીઓ  કોરોના સંક્રમિત થતા ખળભળાટ

સ્ટાફ તેમજ વિધાર્થીઓ સહિત 180 જેટલા પાલસંડા પી.એચ.સી દ્વારા રેપિડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.  જેમાંથી 12 કોરોના પોઝિટિવ નોંધાયા છે.  વિધાર્થીઓમાં 7 છોકરા અને 5 કન્યાનો સમાવેશ થાય છે. 

છોટા ઉદેપુર : છોટાઉદેપુર તાલુકાની ઉતર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળા ચિચોડમાં અભ્યાસ કરતા 12 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ મળતા ખળભળાટ મચી ગયો છે. 

સ્ટાફ તેમજ વિધાર્થીઓ સહિત 180 જેટલા પાલસંડા પી.એચ.સી દ્વારા રેપિડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.  જેમાંથી 12 કોરોના પોઝિટિવ નોંધાયા છે.  વિધાર્થીઓમાં 7 છોકરા અને 5 કન્યાનો સમાવેશ થાય છે. 

આજથી ચાલુ થતી વિધાર્થીઓની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે.  કોરોના સંક્રમણ વધારે ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને  આશ્રમ શાળા સાત દિવસ માટે બંધ રાખવામાં આવી છે. 

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


સુરત કોર્પોરેશનમાં 324, અમદાવાદ કોર્પોરેશનમાં 298, વડોદરા કોર્પોરેશનમાં 111,  રાજકોટ  કોર્પોરેશનમાં 98, સુરતમાં 71,જામનગર કોર્પોરેશન -38, ખેડા-25, પંચમહાલ-25,  ભાવનગર કોર્પોરેશન-24, દાહોદ 18, મહેસાણા 18, વડોદરા 18, આણંદ 15, કચ્છ 15, રાજકોટ 15,  ગાંધીનગર કોર્પોરેશન-14, ભરૂચ 13, મહિસાગર 13, નર્મદા 13, સાબરકાંઠા 13,  ગાંધીનગર-10, જામનગરમાં 10, અમરેલી 8, ભાવનગરમાં 8,  પાટણ 7, અમદાવાદ, છોટા ઉદેપુર અને મોરબીમાં 6-6  કેસ નોંધાયા હતા.

ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?

 

સુરત કોર્પોરેશનમાં 261, અમદાવાદ કોર્પોરેશનમાં 250, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશનમાં 67,  સુરતમાં 5, રાજકોટ-10, ભરુચ-11, મહેસાણા-15, જામનગર કોર્પોરેશન -12, ખેડા-15, ભાવનગર કોર્પોરેશન 11, ભરૂચ 11, મહીસાગર 11 અને દેવભૂમિ દ્વારકામાં 13 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. 

 

કેટલા લોકોએ લીધી રસી

 

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 24,13,350    લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,67,671 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 1,55,174  લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,39,050 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં
પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં
સાવધાન, આજે આ જગ્યાઓ પર 47 ડિગ્રી સુધી પહોંચશે તાપમાનનો પારો, સરકારે લોકોને ઘરમાં જ રહેવા આપી સૂચના
સાવધાન, આજે આ જગ્યાઓ પર 47 ડિગ્રી સુધી પહોંચશે તાપમાનનો પારો, સરકારે લોકોને ઘરમાં જ રહેવા આપી સૂચના
Embed widget