શોધખોળ કરો

By-election Results 2023: 'જલંધરમાં જીત ઐતિહાસિક, 2024માં જીતીશું પંજાબની તમામ બેઠકો', કેજરીવાલનો હુંકાર

જલંધર લોકસભા પેટાચૂંટણીની મતગણતરી પૂરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુશીલ કુમાર રિંકુ 57 હજારથી વધુ મતોથી જીત્યા છે

આમ આદમી પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણીમાં ચાર બેઠકો જીતીને તેની સંસદીય યાત્રાની ભવ્ય શરૂઆત કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માત્ર એક સીટ પર જ ઘટી ગઈ હતી અને ભગવંત માનના મુખ્યમંત્રી બન્યા પછી યોજાયેલી પેટાચૂંટણીમાં પણ તે સીટ હારી ગઇ હતી. લોકસભામાં આમ આદમી પાર્ટી શૂન્ય પર પહોંચી ગઈ હતી. હવે જલંધર પેટાચૂંટણીએ પાર્ટીમાં નવો પ્રાણ ફૂંક્યો છે.

જલંધર લોકસભા પેટાચૂંટણીની મતગણતરી પૂરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુશીલ કુમાર રિંકુ 57 હજારથી વધુ મતોથી જીત્યા છે. કોંગ્રેસના કરમજીત કૌર બીજા નંબરે છે. શિરોમણી અકાલી દળ-બીએસપી ગઠબંધનના ઉમેદવાર સુખવિંદર સુખી ત્રીજા સ્થાને છે. ભાજપ ચોથા ક્રમે છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ગળે લગાવીને જલંધરમાં જીત માટે અભિનંદન આપ્યા અને ત્યારબાદ બંને નેતાઓ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર ખાતે પત્રકારો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી 2014 અને 2019માં પાર્ટીના પ્રદર્શન અંગે ચર્ચા કરી અને લોકસભામાં શૂન્ય સુધી પહોંચવાનો પણ ઉલ્લેખ કર્યો. કેજરીવાલે કહ્યું કે જલંધરમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. તેમણે કહ્યું કે આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે અને 50 વર્ષથી કોંગ્રેસ અહીં જીતતી હતી.

તેમણે કહ્યું કે કોંગ્રેસ એવું વિચારતી હતી કે આ તેમની સીટ છે, તેથી લોકો તેમને જ મત આપશે. કોંગ્રેસના કોઈ મોટા નેતા ત્યાં વોટ માંગવા આવ્યા નથી. કેજરીવાલે કહ્યું કે હવે એવું નથી. અમે 2024માં પણ 13માંથી 13 લોકસભા સીટ જીતીશું. તેમણે કહ્યું કે કોઈ પણ સરકાર માટે શાસનનું પ્રથમ વર્ષ ઘણું મુશ્કેલ હોય છે.

કેજરીવાલે કહ્યું કે અમને અગાઉની સરકારમાંથી ઘણી મોટી ખામીઓ વારસામાં મળી છે. પંજાબના મુખ્યમંત્રીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભગવંત માન એ અદ્ભુત કામ કર્યું છે. કેજરીવાલે કહ્યું કે અમે કામની રાજનીતિ કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે આમ આદમી પાર્ટીની લહેર ચાલી રહી હતી ત્યારે પણ અમે જલંધરમાં નવમાંથી માત્ર ચાર સીટો જીતી શક્યા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ વખતે અમે જલંધરની નવમાંથી સાત વિધાનસભા સીટ જીતી છે. તેમણે કહ્યું કે જલંધર પેટાચૂંટણીમાં અમને 34 ટકા વોટ મળ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબના મતદારોએ વંશવાદની રાજનીતિને હરાવી છે. કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચાર પર પણ ટિપ્પણી કરી હતી.

તેમણે કર્ણાટક ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસને અભિનંદન પણ આપ્યા અને કહ્યું કે ભાજપે સમજવું જોઈએ કે આ યુક્તિઓ (કોમી પ્રચાર) કામ નથી કરી રહી. કર્ણાટકમાં ભાજપની હાર પર કેજરીવાલે કહ્યું કે લોકો વિકાસના કામો ઈચ્છે છે. કેજરીવાલે પણ કર્ણાટકમાં કોંગ્રેસને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

દિલ્હી-NCR માં જૂની ગાડીઓને લઈ મોટો નિર્ણય, આ તારીખ પછી નહીં મળે પેટ્રોલ-ડીઝલ
દિલ્હી-NCR માં જૂની ગાડીઓને લઈ મોટો નિર્ણય, આ તારીખ પછી નહીં મળે પેટ્રોલ-ડીઝલ
Botad Rain: બરવાળા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ
Botad Rain: બરવાળા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ
Tapi Rain: તાપીના નિઝરમાં ધોધમાર વરસાદ વરસ્યો, બસ સ્ટેશનમાં ભરાયા પાણી 
Tapi Rain: તાપીના નિઝરમાં ધોધમાર વરસાદ વરસ્યો, બસ સ્ટેશનમાં ભરાયા પાણી 
Heavy Rain Warning: 8-14 જુલાઈ સુધી દેશના આ રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
Heavy Rain Warning: 8-14 જુલાઈ સુધી દેશના આ રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્રાઈમ કેપિટલ સુરત?
Hun To Bolish : હું તો બોલીશ : ડિગ્રી છે નોકરી ક્યાં?
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓ કોણ?
Harsh Sanghavi hold Meeting: વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ગૃહરાજ્યમંત્રી એકશનમાં
Surat news : સુરતના મહુવાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી અંધારપટ્ટ હોવાનો સ્થાનિકોનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCR માં જૂની ગાડીઓને લઈ મોટો નિર્ણય, આ તારીખ પછી નહીં મળે પેટ્રોલ-ડીઝલ
દિલ્હી-NCR માં જૂની ગાડીઓને લઈ મોટો નિર્ણય, આ તારીખ પછી નહીં મળે પેટ્રોલ-ડીઝલ
Botad Rain: બરવાળા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ
Botad Rain: બરવાળા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ
Tapi Rain: તાપીના નિઝરમાં ધોધમાર વરસાદ વરસ્યો, બસ સ્ટેશનમાં ભરાયા પાણી 
Tapi Rain: તાપીના નિઝરમાં ધોધમાર વરસાદ વરસ્યો, બસ સ્ટેશનમાં ભરાયા પાણી 
Heavy Rain Warning: 8-14 જુલાઈ સુધી દેશના આ રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
Heavy Rain Warning: 8-14 જુલાઈ સુધી દેશના આ રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
એક તરફ ટ્રમ્પ ટેરિફ, બીજી બાજુ ચીન મોટાપાયે ખરીદી રહ્યું છે સોનું, શું ગોલ્ડ રેટમાં આવશે મોટો ઉછાળો ?
એક તરફ ટ્રમ્પ ટેરિફ, બીજી બાજુ ચીન મોટાપાયે ખરીદી રહ્યું છે સોનું, શું ગોલ્ડ રેટમાં આવશે મોટો ઉછાળો ?
Bharat Bandh: 'આવતીકાલે ભારત બંધ', કોણે આપ્યું છે બંધ, જાણો શું ખુલ્લું હશે, જાણો તમામ વિગતો 
Bharat Bandh: 'આવતીકાલે ભારત બંધ', કોણે આપ્યું છે બંધ, જાણો શું ખુલ્લું હશે, જાણો તમામ વિગતો 
પોસ્ટની બચત યોજનાઓમાં રોકાણ કરી મહિલાઓ સારુ રિટર્ન મેળવી શકે, જાણો તેના વિશે
પોસ્ટની બચત યોજનાઓમાં રોકાણ કરી મહિલાઓ સારુ રિટર્ન મેળવી શકે, જાણો તેના વિશે
ખાલી પેટ મધનું સેવન કરવાથી શરીરમાં થાય છે આ ગજબના ફાયદાઓ, જાણી લો
ખાલી પેટ મધનું સેવન કરવાથી શરીરમાં થાય છે આ ગજબના ફાયદાઓ, જાણી લો
Embed widget