![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
By-election Results 2023: 'જલંધરમાં જીત ઐતિહાસિક, 2024માં જીતીશું પંજાબની તમામ બેઠકો', કેજરીવાલનો હુંકાર
જલંધર લોકસભા પેટાચૂંટણીની મતગણતરી પૂરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુશીલ કુમાર રિંકુ 57 હજારથી વધુ મતોથી જીત્યા છે
![By-election Results 2023: 'જલંધરમાં જીત ઐતિહાસિક, 2024માં જીતીશું પંજાબની તમામ બેઠકો', કેજરીવાલનો હુંકાર By-election Results 2023: Victory In Jalandhar Because Of Bhagwant Mann's Good Work: Arvind Kejriwal By-election Results 2023: 'જલંધરમાં જીત ઐતિહાસિક, 2024માં જીતીશું પંજાબની તમામ બેઠકો', કેજરીવાલનો હુંકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/25fe325d68985bbc86fce2b9be682c07168397529100874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આમ આદમી પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણીમાં ચાર બેઠકો જીતીને તેની સંસદીય યાત્રાની ભવ્ય શરૂઆત કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માત્ર એક સીટ પર જ ઘટી ગઈ હતી અને ભગવંત માનના મુખ્યમંત્રી બન્યા પછી યોજાયેલી પેટાચૂંટણીમાં પણ તે સીટ હારી ગઇ હતી. લોકસભામાં આમ આદમી પાર્ટી શૂન્ય પર પહોંચી ગઈ હતી. હવે જલંધર પેટાચૂંટણીએ પાર્ટીમાં નવો પ્રાણ ફૂંક્યો છે.
જલંધર લોકસભા પેટાચૂંટણીની મતગણતરી પૂરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુશીલ કુમાર રિંકુ 57 હજારથી વધુ મતોથી જીત્યા છે. કોંગ્રેસના કરમજીત કૌર બીજા નંબરે છે. શિરોમણી અકાલી દળ-બીએસપી ગઠબંધનના ઉમેદવાર સુખવિંદર સુખી ત્રીજા સ્થાને છે. ભાજપ ચોથા ક્રમે છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ગળે લગાવીને જલંધરમાં જીત માટે અભિનંદન આપ્યા અને ત્યારબાદ બંને નેતાઓ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર ખાતે પત્રકારો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી 2014 અને 2019માં પાર્ટીના પ્રદર્શન અંગે ચર્ચા કરી અને લોકસભામાં શૂન્ય સુધી પહોંચવાનો પણ ઉલ્લેખ કર્યો. કેજરીવાલે કહ્યું કે જલંધરમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. તેમણે કહ્યું કે આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે અને 50 વર્ષથી કોંગ્રેસ અહીં જીતતી હતી.
તેમણે કહ્યું કે કોંગ્રેસ એવું વિચારતી હતી કે આ તેમની સીટ છે, તેથી લોકો તેમને જ મત આપશે. કોંગ્રેસના કોઈ મોટા નેતા ત્યાં વોટ માંગવા આવ્યા નથી. કેજરીવાલે કહ્યું કે હવે એવું નથી. અમે 2024માં પણ 13માંથી 13 લોકસભા સીટ જીતીશું. તેમણે કહ્યું કે કોઈ પણ સરકાર માટે શાસનનું પ્રથમ વર્ષ ઘણું મુશ્કેલ હોય છે.
કેજરીવાલે કહ્યું કે અમને અગાઉની સરકારમાંથી ઘણી મોટી ખામીઓ વારસામાં મળી છે. પંજાબના મુખ્યમંત્રીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભગવંત માન એ અદ્ભુત કામ કર્યું છે. કેજરીવાલે કહ્યું કે અમે કામની રાજનીતિ કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે આમ આદમી પાર્ટીની લહેર ચાલી રહી હતી ત્યારે પણ અમે જલંધરમાં નવમાંથી માત્ર ચાર સીટો જીતી શક્યા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ વખતે અમે જલંધરની નવમાંથી સાત વિધાનસભા સીટ જીતી છે. તેમણે કહ્યું કે જલંધર પેટાચૂંટણીમાં અમને 34 ટકા વોટ મળ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબના મતદારોએ વંશવાદની રાજનીતિને હરાવી છે. કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચાર પર પણ ટિપ્પણી કરી હતી.
તેમણે કર્ણાટક ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસને અભિનંદન પણ આપ્યા અને કહ્યું કે ભાજપે સમજવું જોઈએ કે આ યુક્તિઓ (કોમી પ્રચાર) કામ નથી કરી રહી. કર્ણાટકમાં ભાજપની હાર પર કેજરીવાલે કહ્યું કે લોકો વિકાસના કામો ઈચ્છે છે. કેજરીવાલે પણ કર્ણાટકમાં કોંગ્રેસને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)