શોધખોળ કરો
Shani Upay: શનિવારે કરી લો આ સચોટ ઉપાય, દુર્ભાગ્ય થશે દૂર અને ચમકશે ભાગ્ય, વરસશે શનિદેવની કૃપા
Shani Dev: શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી ખરાબ બાબતો દૂર થઈ જાય છે.

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/9

Shani Dev: શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી ખરાબ બાબતો દૂર થઈ જાય છે.
2/9

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મનો દાતા અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવને કળિયુગના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે.
3/9

જો જન્મકુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને ઘણી સફળતા મળે છે. તેમ જ જો શનિની ખરાબ સ્થિતિ જીવનમાં મોટી સમસ્યાઓ ઊભી કરે છે. શનિવારે શનિદેવ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
4/9

શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ છે. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
5/9

શનિદેવની પૂજામાં સિંદૂર, સરસવ અથવા કાળા તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે ભગવાન શનિદેવને તેલનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરો અને તેમને નીલા રંગના ફૂલ ચઢાવો.
6/9

શનિવારે કાળી ગાયની સેવા કરવાથી શનિદોષ પણ દૂર થાય છે. કાળી ગાયના માથા પર તિલક કરીને તેના શિંગડામાં કાલવ બાંધો અને ધૂપ-આરતી કરો અને તેને ઘાશ ખવડાવો, તેનાથી શનિદેવની કૃપા ઝડપથી મળે
7/9

શનિવારે સ્નાન કર્યા પછી ભગવાન શનિદેવની તેમની મૂર્તિની સામે પંચોપચાર પદ્ધતિથી પૂજા કરો. આ પછી રુદ્રાક્ષની માળાથી શનિના કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.
8/9

શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. શનિદેવને દૂધ અને ધૂપ વગેરે અર્પણ કરો. આ ઉપાયથી શનિની દશા સુધારલા લાગે છે.
9/9

શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવને આ છોડ ખૂબ જ પ્રિય છે. આ છોડ લગાવવાથી શનિદેવની કૃપા ઘરના સભ્યો પર બની રહે છે.
Published at : 30 Mar 2024 07:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
