શોધખોળ કરો
ખેડૂતોને પાણી આપવાને લઈને DyCM નીતિન પટેલે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
1/5

રાજ્યમાં ચોમાસું હવે ધીરે-ધીરે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 73.87 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 94.79 ટકા અને સૌથી ઓછો કચ્છમાં 26.51 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.93 ટકા, સૌરાષ્ટ્રમાં 72.20 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 66.83 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
2/5

હાલ, ઓછા વરસાદને કારણે તળાવો ખાલી છે અને તેને લીધે પશુઓને પીવાના પાણીની તકલીફ પડી રહી છે. જેથી રાજ્ય સરકાર વિવિધ ડેમ અને કેનાલોમાંથી ગામડાના તળાવો ભરવાનું કામ કરશે જેના કારણે પશુઓને પીવાનું પાણી મળી રહે. નીતિન પટેલે જણાવ્યું કે, આ પાણી છોડવાથી રાજ્યની પ્રજાને પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે. કેમ કે, સરકાર પીવાના પાણીનો જથ્થો અનામત રાખશે.
Published at : 15 Sep 2018 09:59 AM (IST)
Tags :
Gujarat GovernmentView More




















