Sonakshi Wedding: સોનાક્ષી સાત ફેરા લેશે કે પછી કરશે નિકાહ ? બેસ્ટ ફ્રેન્ડે કર્યો લગ્નની વિધિ અંગે ખુલાસો
Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. એવી અટકળો છે કે તે આ મહિને 23 જૂને તેના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે

Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. એવી અટકળો છે કે તે આ મહિને 23 જૂને તેના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે બંનેએ હજુ સુધી આ લગ્ન અંગે કોઈ અપડેટ નથી આપી, પરંતુ તેમના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. હવે સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. જાણો અહીં અપડેટ શું છે.
હિન્દુ કે મુસ્લિમ કયા રીતિ-રિવાજથી થશે લગ્ન
અગાઉ સોનાક્ષીના લગ્ન વિશે એવા અહેવાલો આવ્યા હતા કે તેના લગ્ન એક ખાનગી ક્ષણ છે. બંનેના લગ્ન મુંબઈમાં થશે અને માત્ર નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યો જ તેમાં હાજરી આપશે. હવે સોનાક્ષીના એક નજીકના મિત્રએ જણાવ્યું કે સોનાક્ષી ના તો પહેલા નિકાહ કરશે અને ના તો હિંદુ રીતિ-રિવાજોથી લગ્ન જશે. તે પહેલા ઝહીર સાથે તેના લગ્નની નોંધણી કરાવશે. આ પછી 23 જૂને રિસેપ્શન પાર્ટી થશે. આ પાર્ટીમાં સોનાક્ષીના પરિવારના સભ્યો અને મિત્રો હાજરી આપશે.
23 જૂને થશે લગ્નની પાર્ટી
ઝૂમ પર વાતચીત દરમિયાન સોનાક્ષીના મિત્રએ જણાવ્યું કે તેને 23 જૂનની સાંજે સોનાક્ષી અને ઝહીર ઈકબાલ સાથે સેલિબ્રેશન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે તેમાં વાસ્તવિક લગ્નનો કોઈ ઉલ્લેખ નથી. સોનાક્ષીના મિત્રએ કહ્યું કે કાં તો તેઓએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે અથવા તો 23મી જૂનની સવારે તે કરી શકશે. પરંતુ પરંપરાગત રિવાજો સાથે કોઈ લગ્ન કે ભવ્ય ઉજવણી કરવામાં આવશે નહીં, માત્ર એક પાર્ટીનું આયોજન કરવામાં આવશે.
View this post on Instagram
લગ્નમાં આ મહેમાન આપી શકે છે હાજરી
જો કે અત્યાર સુધી સોનાક્ષીના પરિવારના કોઈ સભ્યએ તેમના લગ્ન વિશે વાત કરી નથી, પરંતુ સોનાક્ષીના પરિવારના નજીકના સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે લગ્નના સમાચાર સાચા છે. એવા અહેવાલ છે કે આ લગ્નમાં મોટી હસ્તીઓ હાજરી આપશે. આ સિવાય સલમાન ખાન, હીરામંડીની આખી સ્ટાર કાસ્ટ, આયુષ શર્મા, હુમા કુરેશી અને વરુણ શર્મા વગેરે લગ્નમાં હાજરી આપી શકે છે.
સોનાક્ષીના લગ્ન વિશે પરિવારને નથી ખબર ?
સોનાક્ષીના પરિવારની વાત કરીએ તો હાલમાં જ જ્યારે તેના પિતાને સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે તેમને લગ્ન વિશે કોઈ માહિતી નથી. વળી, સોનાક્ષીના ભાઈ લવ સિન્હાએ પણ લગ્નને લઈને કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી.
View this post on Instagram
-
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
