શોધખોળ કરો

Diabetes: જાણો ડાયાબિટીસના દર્દીઓએ ડુંગળીનું સેવન કરવું જોઈએ કે નહીં

Health News: ડુંગળીનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. શાક બનાવવું હોય, દાળ ફ્રાય  હોય કે ચિકન અને મટન બનાવવું હોય, ડુંગળીનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આ સિવાય ડુંગળીનો ઉપયોગ તેના ઔષધીય ગુણોને કારણે પણ કરવામાં આવે છે.

Health News: ડુંગળીનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. શાક બનાવવું હોય, દાળ ફ્રાય  હોય કે ચિકન અને મટન બનાવવું હોય, ડુંગળીનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આ સિવાય ડુંગળીનો ઉપયોગ તેના ઔષધીય ગુણોને કારણે પણ કરવામાં આવે છે. ચાલો આજે તમને જણાવીએ કે ડાયાબિટીસમાં ડુંગળી ખાવી જોઈએ કે નહીં. આ સાથે અમે તમને ડુંગળીના અન્ય ફાયદા અને નિષ્ણાતોના અભિપ્રાય વિશે પણ જણાવીશું.

સંશોધન શું કહે છે?

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં ડુંગળીને લઈને એક રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ટાઈપ 2 ડાયાબિટીસમાં જો તમે લગભગ ચાર અઠવાડિયા સુધી ડુંગળીનો રસ પીવો છો તો તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે, કાચી ડુંગળી ડાયાબિટીસ ટાઈપ 1 દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

તો બીજી તરફ, ધ ઈન્ડિપેન્ડન્ટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, 25 ઓગસ્ટના રોજ, સેન ડિએગોમાં એન્ડોક્રાઈન સોસાયટીની 97મી વાર્ષિક બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, ડાયબિટીઝની દવા મેટફોર્મિનની સાથે જો કોઈ પણ સ્વરૂપમાં ડુંગળીને દર્દીને ખવડાવવામાં આવે તો તે હાઈ બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરે છે. ડેલ્ટા સ્ટેટ યુનિવર્સિટી, અબ્રાકા, નાઈજીરીયાના એન્થોની ઓજીહ કહે છે, ડુંગળી સસ્તી છે અને દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ શરીર માટે પોષણ તરીકે થઈ શકે છે. તેમાં ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા છે.

કેટલાક નિષ્ણાતો પણ એવું માને છે

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ડૉ. અનુપ મિશ્રા, ફોર્ટિસ સીડીઓસી સેન્ટર ફોર ડાયાબિટીસના અધ્યક્ષ કહે છે, આ તર્કને અનુસરીને, ભારત આજે ડાયાબિટીસનું હોટસ્પોટ ન હોત. આવું એટલા માટે થાય છે કારણ કે આપણે ડુંગળીનું વધુ પડતું સેવન કરીએ છીએ. ડુંગળી એ આપણા રસોડામાં મુખ્ય ભાગ છે અને તેમ છતાં અહીં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા ઘણી વધારે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે, જેના કારણે તેઓ કોઈ પણ રોગ કે વાયરસથી ઝડપથી સંક્રમિત થઈ જાય છે. પરંતુ જો તમે દરરોજ કાચી ડુંગળી ખાઓ તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં હાજર વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ શરીરમાં ચેપ સામે રક્ષણાત્મક સ્તર બનાવવાનું કામ કરે છે જે શરીરને બહારના વાયરસથી સુરક્ષિત રાખે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
Advertisement

વિડિઓઝ

Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
Embed widget