Coronavirus Cases LIVE: દિલ્હીમાં નાંખવામાં આવ્યો Night Curfew
હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે.
LIVE

Background
દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ
સુરતમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિ
રાજ્યમાં અત્યારે કોરોનાની સૌથી વધુ વિકટ સ્થિતિ સુરતમાં છે, ત્યારે સુરતમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિથી સરકાર ચિંતિત બની છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થિતિની સમીક્ષા કરવા માટે સુરત પહોંચવાના છે. તેમની સાથે તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ પણ ઉપસ્થિત રહેવાના છે.
કોરોનાની સારવાર દરમિયાન 19 દર્દીઓના મોતથી ખળભળાટ
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 19 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. છેલ્લા છ દિવસથી કમોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવું જરૂરી છે. આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટિ કરશે.
RTOમાં એક વર્ષ ફરી કોરોના સંક્રમણ ફેલાયું, મહિલા ઇન્સ્પેક્ટર સહિત બે અધિકારીને ચેપ લાગતાં ચિંતા
ભુજઃ જિલ્લાની ભુજ RTOમાં એક વર્ષ બાદ ફરી કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. મહિલા ઇન્સ્પેક્ટર સહિત બે અધકારીના રિપોર્ટર પોઝિટિવ આવ્યા છે. RTO મહિલા ઈસ્પેક્ટર કે. આર.મકવાણા અને ઇન્સ્પેક્ટર બી.પી. ઠાકોર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મોટા ભાગના અધિકારીઓ કચ્છ બહારના હોવાથી સંક્રમણ વધે તેવી શકયતા છે. બેદરકારી અને કોરોના ગાઈડ લાઈનની અમલવારી ચુસ્તપણે ન હોવાથી સંક્રમણ ફેલાયું છે.
મૃત્યુદર
અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ દર ૩.૧ ટકા છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૬૭૮, અમદાવાદમાંથી ૪૬૮, વડોદરામાંથી ૨૧૦, રાજકોટમાંથી ૧૮૨ એમ રાજ્યભરમાંથી ૨ હજાર ૦૨૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩ લાખ ૭૬૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૩.૫૨ ટકા છે. રાજ્યમાંથી પોરબંદરમાં સૌથી વધુ ૯૮.૮૦ ટકા, જૂનાગઢમાં ૯૭.૩૦ ટકા, બનાસકાંઠામાં ૯૭ ટકા, ગીર સોમનાથમાં ૯૬.૯૦ ટકાનો રીક્વરી રેટ છે. ૮૧.૯ ટકા સાથે ડાંગ સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
