શોધખોળ કરો

Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ

Mahakumbh Stampede: મહાકુંભમાં 144 વર્ષ પછી આવેલ શુભ મુહૂર્ત ભાગદોડનું મુખ્ય કારણ બન્યું. આ શુભ સમયે ભક્તો સ્નાન કરવા માટે ઘાટ પર ઉભા રહ્યા, જેના કારણે ભીડ વધી ગઈ અને અકસ્માત થયો.

Mahakumbh Stampede: બુધવારે (29 જાન્યુઆરી) પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા. ડીઆઈજી મહાકુંભ વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે ભાગદોડમાં ત્રીસ લોકોના મોત થયા છે. 25 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. 90 લોકો હોસ્પિટલમાં દાખલ છે. તમને જણાવી દઈએ કે, એક ગુજરાતીનું પણ મોત થયું છે.

ભાગદોડ કેવી રીતે મચી?
હકીકતમાં, મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સંગમ વિસ્તારમાં ભક્તોની ભીડ એકઠી થવા લાગી હતી. વહીવટીતંત્રે સ્નાન પછી ભક્તોને આગળ ખસેડવાની યોજના બનાવી હતી, પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાની ઇચ્છાને કારણે, ભક્તોની ભીડ પાછળ રહી ગઈ. ભીડ વધવા લાગી ત્યારે ઘણા ભક્તો બેરિકેડ પાસે સૂઈ રહ્યા હતા. બુધવારે રાત્રે 1:45 થી 2 વાગ્યાની વચ્ચે, ભીડ બેકાબૂ થઈ ગઈ અને ભક્તોએ બેરિકેડ તોડીને સંગમ તરફ દોડવાનું શરૂ કર્યું. આ દરમિયાન લોકો બેરિકેડ પરથી કૂદી પડ્યા અને નીચે સૂતેલા ભક્તો પર પડ્યા, જેના કારણે નાસભાગ મચી ગઈ.

મહાકુંભમાં ભાગદોડ સાથે જોડાયેલી 10 મહત્વપૂર્ણ બાબતો

૧. દરેકને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત
વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળા કુંભ મેળામાં ભૂતકાળમાં ઘણી વાર ભાગદોડ થઈ છે, જેમાં 1954, 1986, 2003અને 2013નો સમાવેશ થાય છે. આ ભાગદોડમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે 60 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સીએમ યોગીએ જાહેરાત કરી કે મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ અકસ્માત આપણા માટે એક પાઠ છે.

2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું, “આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરીએ છીએ.

૩. ભક્તોની અવરજવર પર કડકાઈ
 પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યા સ્નાન દરમિયાન થયેલી ભાગદોડ અને અંધાધૂંધીને કારણે, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સરહદ પર શ્રદ્ધાળુઓની અવરજવરને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના રેવા જિલ્લાના ચકઘાટ પોલીસ સ્ટેશન હેઠળ યુપી-એમપી બોર્ડર પર હજારો શ્રદ્ધાળુઓના વાહનોને રોકવામાં આવ્યા છે.

૪. 144 વર્ષનો એક દુર્લભ સંયોગ અકસ્માતનું કારણ બન્યો!
મહાકુંભમાં 144 વર્ષ પછી આવેલો શુભ મુહૂર્ત ભાગદોડનું મુખ્ય કારણ બન્યો. આ શુભ સમયે ભક્તો સ્નાન કરવા માટે ઘાટ પર ઉભા રહ્યા, જેના કારણે ભીડ વધી ગઈ અને અકસ્માત થયો.

૫. પોલીસની સ્પષ્ટતા
ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે કેટલાક લોકોએ બેરિકેડ તોડી નાખ્યા હતા, જેના કારણે ત્યાં સૂતા ભક્તો ભીડમાં કચડાઈ ગયા હતા. ડીઆઈજીએ જણાવ્યું હતું કે 29 જાન્યુઆરીએ વીઆઈપી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું અને ન તો અન્ય આગળ કોઈ દિવસે તેનું પાલન કરવામાં આવશે.

૬. વહીવટીતંત્રે હેલ્પલાઇન નંબર જારી કર્યો
ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રે 1920 નામનો હેલ્પલાઇન નંબર જારી કર્યો છે, જેના દ્વારા લોકો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે છે.

૭. સીએમ યોગી આદિત્યનાથે બેઠકો રદ કરી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીમાં યોજાનારી બધી સભાઓ રદ કરી દીધી છે અને પ્રયાગરાજ જવાનું આયોજન કર્યું છે. સીએમ યોગીએ કહ્યું કે આ ઘટનાની ન્યાયિક તપાસ થશે. ત્રણ સભ્યોની સમિતિ તપાસ કરશે.

૮. અખિલેશ યાદવની અપીલ
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સ્વૈચ્છિક સંસ્થાઓને ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરી.

9. અત્યાર સુધીમાં 6.99 કરોડ લોકોએ સ્નાન કર્યું 
મહાકુંભમાં ભાગદોડ થવા છતાં, લોકોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો થયો ન હતો. બુધવારે સાંજે 6 વાગ્યા સુધીમાં, 6.99 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણીમાં ડૂબકી લગાવી હતી. આ ઉપરાંત, 10 લાખથી વધુ કલ્પવાસીઓ હાજર હતા.

૧૦. રેલ્વે વહીવટીતંત્રે આજે 190 વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે.
ઘટના બાદ, ઉત્તર મધ્ય રેલવેના સીપીઆરઓ શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, "સ્નાન કર્યા પછી, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રેલ્વે પરિસર તરફ આવી રહ્યા છે. હવે ધીમે ધીમે ભીડ રેલ્વે સ્ટેશન તરફ આગળ વધી રહી છે. અમે બપોરે 12 વાગ્યે લગભગ 50 ઉત્તર મધ્ય રેલવે અને 13 ઉત્તર રેલવે અને પૂર્વોતર રેલવે માધ્યમથી  કુલ 80 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. રેલવે વહીવટીતંત્રે આજે 190 ખાસ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે જેથી લોકોને કોઈ અસુવિધા ન થાય.

આ પણ વાંચો....

Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા
Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગKumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા
Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
Embed widget