![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Maharashtra: શું મહારાષ્ટ્રમાં ખેલા હોવે? ઉદ્ધવ ઠાકરેએ તેમના તમામ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરતા રાજકારણ ગરમાયું
Maharashtra MLC Election 2024: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં એક મોટો ખેલ થવા જઈ રહ્યો છે. જો ક્રોસ વોટિંગ થશે તો શાસક ગઠબંધનને નુકસાન વેઠવું પડશે. જ્યારે મહા વિકાસ આઘાડીનો લાભ મળશે.
![Maharashtra: શું મહારાષ્ટ્રમાં ખેલા હોવે? ઉદ્ધવ ઠાકરેએ તેમના તમામ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરતા રાજકારણ ગરમાયું maharashtra-mlc-election-2024-uddhav-thackeray-shifted-shiv-sena-ubt-mlas-in-hotel Maharashtra: શું મહારાષ્ટ્રમાં ખેલા હોવે? ઉદ્ધવ ઠાકરેએ તેમના તમામ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરતા રાજકારણ ગરમાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/655a7ba21d2fc83546e97844dd760ba21719917244809957_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maharashtra Vidhan Parishad Chunav 2024: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીઓ માટે રાજકીય ગતિવિધિઓ સતત વધી રહી છે. રાજ્યમાં 12 જુલાઈના રોજ વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરીને રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ સાથે તમામ રાજકીય પક્ષો પોતાના ધારાસભ્યોને બચાવતા જોવા મળી રહ્યા છે. વિધાન પરિષદની ચૂંટણી માટે 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે. ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે.
શિવસેના યુબીટીએ તેના તમામ 16 ધારાસભ્યોને આઈટીસી ગ્રાન્ડ સેન્ટ્રલ હોટેલમાં શિફ્ટ કર્યા છે. આદિત્ય ઠાકરે પણ આ ધારાસભ્યો સાથે રહી શકે છે. 'ક્રોસ વોટિંગ'ની શક્યતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોને હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કઈ પાર્ટી પાસે કેટલા ધારાસભ્યો છે?
• ભાજપ- 103
• કોંગ્રેસ- 37
• શિવસેના (UBT)- 15
• શિવસેના (શિંદે)- 38
• NCP (અજિત પવાર) – 40
• NCP (શરદ પવાર)- 12
નાની પાર્ટીઓ પાસે કેટલા ધારાસભ્યો છે?
• બહુજન વિકાસ આઘાડી- 3
• સમાજવાદી પાર્ટી- 2
• MIM-2
• પ્રહાર જનશક્તિ પાર્ટી- 2
• MNS-1
• પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા- 1
• રાષ્ટ્રીય સમાજ પક્ષ- 1
• કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)-1
• ક્રાંતિકારી શેતકરી પાર્ટી- 1
• જન સુરાજ્ય શક્તિ- 1
• અપક્ષ- 13
ક્રોસ વોટિંગ થશે તો રાજકીય ગણિત બગડી જશે
વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેના (UBT) દ્વારા મિલિંદ નાર્વેકરને ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદ ગણિત બગડ્યું છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 23 મતની જરૂર હોય છે. શિવસેના (UBT) પાસે માત્ર 15 ધારાસભ્યો છે, જ્યારે બીજી તરફ, NCP (AP)ના બીજા ઉમેદવાર અને NCP (SP) સમર્થિત ઉમેદવાર જયંત પાટીલે પણ જીત માટે અન્ય પક્ષોના ધારાસભ્યો પર નિર્ભર રહેવું પડશે. જો વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ થાય છે, તો ઉદ્ધવ ઠાકરે અને NCP (SP) સમર્થિત ઉમેદવાર જયંત પાટીલને સૌથી વધુ ફાયદો થશે.
તો બીજી તરફ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબરમાં યોજાવાની હોવા છતાં, આને લઈને રાજકીય હલચલ પહેલાથી જ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેમના ભત્રીજા અજિત પવારની સાથે પાર્ટીના કેટલાક ધારાસભ્યો તેમના જૂથના વરિષ્ઠ નેતા જયંત પાટીલને મળ્યા છે.
શરદ પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના NCP ધારાસભ્યો NCP (શરદ પવાર)માં પાછા આવવાની સંભાવના વિશેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેણે આ મોટો દાવો કર્યો હતો. શરદ પવારે આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)