શોધખોળ કરો

યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા

યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા તરફથી લડતા લડતા લગભગ 300 ઉત્તર કોરિયાના સૈનિકો અત્યાર સુધીમાં  માર્યા ગયા છે

દક્ષિણ કોરિયાના એક સાંસદે સિયોલની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ (એનઆઈએસ)ને ટાંકીને દાવો કર્યો હતો કે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા તરફથી લડતા લડતા લગભગ 300 ઉત્તર કોરિયાના સૈનિકો અત્યાર સુધીમાં  માર્યા ગયા છે. તેમણે કહ્યું હતું કે આ સૈનિકોને પકડવાથી બચવા માટે પોતાની જાતને મારી નાખવાનો પણ આદેશ અપાયો છે.

દક્ષિણ કોરિયાના સાંસદ લી સેઓંગ-ક્વેને એએફપીને જાસૂસી એજન્સી સાથે એક બ્રીફિંગ બાદ જણાવ્યું હતું કે "રશિયામાં ઉત્તર કોરિયાના સૈનિકોની તૈનાતી કથિત રીતે કુર્સ્ક ક્ષેત્રને સામેલ કરવા માટે વિસ્તારીત કરવામાં આવી હતી. એક અંદાજ છે કે ઉત્તર કોરિયાના 3000થી વધુ સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે અત્યાર સુધી 300 કોરિયન સૈનિકો માર્યા ગયાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

લીએ દાવો કર્યો હતો કે સૈનિકો કથિત રીતે ઉત્તર કોરિયાના સ્ટોર્મ કોર્પ્સના હોવાનું કહેવાય છે જેમને પકડવાથી બચવા માટે પોતાની જાતને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. "નોંધનીય છે કે વિશેષ રીતે મૃતક સૈનિકો પાસે મળેલા મેમો પરથી સંકેત મળે છે કે ઉત્તર કોરિયાના અધિકારીઓએ તેમને પકડાઇ જતા પહેલા આત્મહત્યા કરવા અથવા પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

લીએ કહ્યું હતું કે આવું એક ઉત્તર કોરિયાના સૈનિકે કહ્યું હતું જે કથિત રીતે પકડાઇ જવાનો હતો. તે જનરલ કિમ જોંગ ઉન બોલ્યો હતો અને ગોળી વાગતા અગાઉ ગ્રેનેડ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં કેટલાક સૈનિકોને ‘માફી’ આપવામાં આવી છે અથવા તે ઉત્તર કોરિયાની સત્તાધારી પાર્ટીમાં સામેલ થવા માંગતા હતા.

દક્ષિણ કોરિયાએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પ્યોંગયાંગના પરમાણુ શસ્ત્રો અને ઉપગ્રહ કાર્યક્રમો માટે રશિયન તકનીકી સહાયના બદલામાં રશિયાને યુક્રેન સામે લડવામાં મદદ કરવા માટે 10,000 થી વધુ સૈનિકો મોકલ્યા હતા. જો કે, તેમની પાસે આધુનિક યુદ્ધની સમજનો અભાવ હતો અને NIS વિશ્લેષણ મુજબ, તેમનો ઉપયોગ "તોપના ચારા" તરીકે થઈ રહ્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી.

અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે તેમણે બે ઉત્તર કોરિયાઈ સૈનિકોને પકડ્યા છે. તેમણે તેમની પૂછપરછનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. ઝેલેન્સકીએ કહ્યું હતું કે યુક્રેન રશિયામાં બંધક યુક્રેનિયન સૈનિકોના બદલામાં કિમ જોંગ ઉનના સૈનિકોને સોંપવા તૈયાર છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે "આપણા સૈનિકો અન્ય લોકોને પકડવામાં સફળ થાય તે ફક્ત સમયની વાત છે. વિશ્વમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે રશિયન સેના ઉત્તર કોરિયાની લશ્કરી સહાય પર નિર્ભર છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget