શોધખોળ કરો

Kotak Mahindra Bank: કોટક મહિન્દ્રા બેન્ક વિરુદ્ધ RBIની મોટી કાર્યવાહી, જાણો શું લગાવ્યા નિયંત્રણો?

Kotak Mahindra Bank:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેન્ક સામે મોટી કાર્યવાહી કરી છે.

RBI On Kotak Mahindra Bank: બેન્કિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેન્ક સામે મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેન્કને ઓનલાઈન અથવા મોબાઈલ બેન્કિંગ ચેનલો દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય આરબીઆઈએ કોટક બેન્કના નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જો કે, આરબીઆઈએ કહ્યું કે કોટક મહિન્દ્રા બેન્ક તેના વર્તમાન ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તમામ સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે 2022 અને 2023 માટે ભારતીય રિઝર્વ બેન્કની આઈટી પરીક્ષામાં અનેક પ્રકારની ચિંતાઓ ઉભી કરવામાં આવી હતી અને બેન્ક નિર્ધારિત સમયની અંદર આ ચિંતાઓને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે રોબસ્ટ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કના અભાવને કારણે બેન્કની કોર બેન્કિંગ સિસ્ટમ અને તેની ઓનલાઈન અને ડિજિટલ બેન્કિંગ ચેનલોએ છેલ્લા બે વર્ષમાં વારંવાર આઉટેજનો સામનો કરવો પડ્યો છે. 15 એપ્રિલ, 2024 ના રોજ પણ સેવાઓ અટકાવી દેવામાં આવી હતી જેના કારણે બેન્ક ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, કોટક મહિન્દ્રા બેન્ક તેના ગ્રોથની સાથે તેની IT સિસ્ટમ્સ અને કંન્ટ્રોલના ઓપરેશનલ તાકાત આપવામાં નિષ્ફળ રહી છે. છેલ્લા બે વર્ષથી RBI સતત આઇટી  સિસ્ટમને મજબૂત કરવા અને આ સમસ્યાઓને દૂર કરવા બેન્કના ટોચના મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે પરંતુ પરિણામ સંતોષકારક આવ્યું નથી.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેન્કના ડિજિટલ ટ્રાન્જેક્શનના વોલ્યૂમમાં જોરદાર વધારો થયો છે જેમાં ક્રેડિટ કાર્ડથી સંબંધિત ટ્રાન્જેક્શન પણ સામેલ છે. આનાથી આઈટી સિસ્ટમ પર ભારણ વધી ગયું છે. આ કારણોસર ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બેન્ક પર વ્યાપાર નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને લાંબા ગાળાના આઉટેજને અટકાવી શકાય કારણ કે આનાથી માત્ર બેન્કની ગ્રાહક સેવાઓ જ નહીં પરંતુ તેની નાણાકીય કામગીરીને પણ અસર થશે. ડિજિટલ બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમના ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમને પણ આંચકો લાગશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget