શોધખોળ કરો

Kotak Mahindra Bank: કોટક મહિન્દ્રા બેન્ક વિરુદ્ધ RBIની મોટી કાર્યવાહી, જાણો શું લગાવ્યા નિયંત્રણો?

Kotak Mahindra Bank:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેન્ક સામે મોટી કાર્યવાહી કરી છે.

RBI On Kotak Mahindra Bank: બેન્કિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેન્ક સામે મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેન્કને ઓનલાઈન અથવા મોબાઈલ બેન્કિંગ ચેનલો દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય આરબીઆઈએ કોટક બેન્કના નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જો કે, આરબીઆઈએ કહ્યું કે કોટક મહિન્દ્રા બેન્ક તેના વર્તમાન ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તમામ સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે 2022 અને 2023 માટે ભારતીય રિઝર્વ બેન્કની આઈટી પરીક્ષામાં અનેક પ્રકારની ચિંતાઓ ઉભી કરવામાં આવી હતી અને બેન્ક નિર્ધારિત સમયની અંદર આ ચિંતાઓને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે રોબસ્ટ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કના અભાવને કારણે બેન્કની કોર બેન્કિંગ સિસ્ટમ અને તેની ઓનલાઈન અને ડિજિટલ બેન્કિંગ ચેનલોએ છેલ્લા બે વર્ષમાં વારંવાર આઉટેજનો સામનો કરવો પડ્યો છે. 15 એપ્રિલ, 2024 ના રોજ પણ સેવાઓ અટકાવી દેવામાં આવી હતી જેના કારણે બેન્ક ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, કોટક મહિન્દ્રા બેન્ક તેના ગ્રોથની સાથે તેની IT સિસ્ટમ્સ અને કંન્ટ્રોલના ઓપરેશનલ તાકાત આપવામાં નિષ્ફળ રહી છે. છેલ્લા બે વર્ષથી RBI સતત આઇટી  સિસ્ટમને મજબૂત કરવા અને આ સમસ્યાઓને દૂર કરવા બેન્કના ટોચના મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે પરંતુ પરિણામ સંતોષકારક આવ્યું નથી.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેન્કના ડિજિટલ ટ્રાન્જેક્શનના વોલ્યૂમમાં જોરદાર વધારો થયો છે જેમાં ક્રેડિટ કાર્ડથી સંબંધિત ટ્રાન્જેક્શન પણ સામેલ છે. આનાથી આઈટી સિસ્ટમ પર ભારણ વધી ગયું છે. આ કારણોસર ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બેન્ક પર વ્યાપાર નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને લાંબા ગાળાના આઉટેજને અટકાવી શકાય કારણ કે આનાથી માત્ર બેન્કની ગ્રાહક સેવાઓ જ નહીં પરંતુ તેની નાણાકીય કામગીરીને પણ અસર થશે. ડિજિટલ બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમના ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમને પણ આંચકો લાગશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
Embed widget