શોધખોળ કરો

Akshay Kumarએ  CM યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત, ફિલ્મ સિટીની ચર્ચા વચ્ચે કહ્યું- તમે 'રામસેતુ' જરૂર જોજો

Akshay Kumarએ  બુધવાર સાંજે મુંબઈમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. અડધા કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં બંને વચ્ચે ઉત્તર પ્રદેશમાં બની રહેલી ફિલ્મ સિટી અંગે ચર્ચા થઈ હતી.

Akshay Kumar meets Adityanath: બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર બુધવારે સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મુંબઈમાં મળ્યા હતા. આ દરમિયાન જ્યારે અભિનેતાએ ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીના નિર્માણ અંગેના તેમના ઉત્સાહનો ઉલ્લેખ કર્યો, ત્યારે મુખ્યમંત્રીએ ફિલ્મ નિર્માણમાં રાષ્ટ્રીય ચેતનાના મુદ્દાઓ વિશે પણ વાત કરી. યોગી આદિત્યનાથ મુંબઈની બે દિવસીય મુલાકાતે છે. બંનેની આ બેઠક તાજ હોટલમાં થઈ હતી. આ દરમિયાન લગભગ 35 મિનિટની વાતચીતમાં ફિલ્મ સિટીમાંથી હિન્દી ફિલ્મોના નિર્માણ પર ચર્ચા થઈ હતી.

અક્ષય કુમારે સીએમ યોગીને રામસેતુ ફિલ્મ જોવા કરી વિનંતી 

યોગી આદિત્યનાથે અક્ષય કુમારને કહ્યું હતું કે જનજાગૃતિ વધારવામાં ફિલ્મો મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી ફિલ્મ નિર્માતાઓએ સામાજિક અને રાષ્ટ્રીય ચેતનાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અક્ષય કુમારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'રામસેતુ' જોવા માટે પણ વિનંતી કરી હતી. અક્ષય કુમારે સીએમ યોગી આદિત્યનાથને કહ્યું કે તેઓ યુપીની ફિલ્મ સિટીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ પ્રોજેક્ટ ભારતીય સિનેમા જગત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અક્ષયે કહ્યું કે ઘણા મોટા પ્રોડક્શન હાઉસ, નિર્માતા, દિગ્દર્શક અને કલાકારો યુપીના ફિલ્મ સિટીનું નિર્માણ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે યુપીમાં વર્લ્ડ ક્લાસ ફિલ્મ અને એન્ટરટેઈનમેન્ટ સિટીનો વિકાસ સિનેમા જગતને નવો વિકલ્પ આપશે.

અક્ષયે સીએમને જણાવ્યું કે 'રામસેતુ' માટે કેવી રીતે સંશોધન કરવામાં આવ્યું

અક્ષય કુમારે સીએમ યોગીને સમય ફાળવીને તેમની ફિલ્મ 'રામસેતુ' જોવા વિનંતી કરી. આ દરમિયાન અક્ષયે સીએમ યોગી આદિત્યનાથને 'રામસેતુ'ની પટકથા માટે કરવામાં આવેલા સંશોધન અને તૈયારીઓ વિશે પણ માહિતી આપી હતી.

જનજાગૃતિ વધારવામાં સિનેમા મોટી ભૂમિકા ભજવે છેઃ સીએમ યોગી

બીજી તરફ મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે જનજાગૃતિ વધારવામાં સિનેમાની મોટી ભૂમિકા છે. ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મો બનાવવા માટે વિષયોની પસંદગી કરતી વખતે સામાજિક અને રાષ્ટ્રીય ચેતનાના વિષયોને મહત્વ આપવું જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશનો ફિલ્મ સિટી પ્રોજેક્ટ વિશ્વ કક્ષાનો હશે. આ સાથે રાજ્યમાં ફિલ્મોના શૂટિંગને પ્રોત્સાહન આપવા માટે નવી ફિલ્મ પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. આમાં, ફિલ્મ નિર્માતાઓની સુવિધા માટે, તેને સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે પણ જોડવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ અક્ષય કુમારને ઉત્તર પ્રદેશની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોતGujarat HC : દાહોદમાં મહિલાને તાલિબાની સજા પર હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશનUCC In Gujarat : એડવોકેટ સોકત ઇન્દોરીએ UCC સામે નોંધાવ્યો વિરોધ , સરકારની જાહેરાત દુઃખદGujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ક્યાં ક્યાં લાગ્યો ઝટકો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
8th Pay Commission: પટ્ટાવાળાથી લઈને અધિકારીઓ સુધી, જાણો કોનો પગાર કેટલો વધશે ? 
8th Pay Commission: પટ્ટાવાળાથી લઈને અધિકારીઓ સુધી, જાણો કોનો પગાર કેટલો વધશે ? 
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
દેશના કરોડો રોકાણકારો પર મોટો ખતરો, SBIએ જાહેર કરી ચેતવણી  
દેશના કરોડો રોકાણકારો પર મોટો ખતરો, SBIએ જાહેર કરી ચેતવણી  
Embed widget