શોધખોળ કરો
Health Insurance: શું કેન્સરના દર્દીઓને પણ મળે છે હેલ્થ ઇન્શ્યોરન્સ? જાણી લો આ નવો નિયમ
Health Insurance: ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ એવા લોકોને પોલિસી આપવાનો ઈન્કાર કરે છે જેમને કેન્સર કે એઈડ્સ જેવી ગંભીર બીમારીઓ છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

Health Insurance: ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ એવા લોકોને પોલિસી આપવાનો ઈન્કાર કરે છે જેમને કેન્સર કે એઈડ્સ જેવી ગંભીર બીમારીઓ છે.
2/7

મોંઘી સારવારને કારણે ઘણા લોકો સરકારી દવાખાનાના ચક્કર લગાવે છે અને ક્યારેક તેમની તબિયત વધુ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય વીમો હોવો ખૂબ જ જરૂરી છે.
3/7

હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉદ્દભવે છે, તેમાંથી એક સવાલ એ છે કે શું કેન્સર જેવી ગંભીર બીમારીવાળા લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ લઈ શકે છે?
4/7

ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વીમા કંપનીઓ કેન્સર અને એચઆઈવી એઈડ્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને પોલિસી આપવાનો ઈનકાર કરે છે.
5/7

હવે ઇન્શ્યોરન્સ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્સરના દર્દીઓ પણ હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવી શકે છે. કોઈપણ કંપની તેને આપવાનો ઇનકાર કરી શકે નહીં.
6/7

ઓથોરિટી દ્વારા આરોગ્ય વીમા માટે રાહ જોવાનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે દરેક ઉંમરના લોકો સ્વાસ્થ્ય વીમો લઈ શકશે.
7/7

તેનો અર્થ એ કે કેન્સર અથવા અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકો પોતાના માટે સ્વાસ્થ્ય વીમો લઈ શકે છે. જો કોઈ ના પાડે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
Published at : 25 Apr 2024 06:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
બોલિવૂડ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
