શોધખોળ કરો
Martyr Mahipal Sinh: ભારત માતા કી જયના નારા સાથે શહિદને આપવામાં આવી શ્રદ્ધાંજલિ, CM સહિતના મહાનુભવો રહ્યા ઉપસ્થિત
Martyr Mahipal Sinh: શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલે શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી
1/10

Martyr Mahipal Sinh: શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
2/10

શહીદ વીરનોનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા.
3/10

આ ઉપરાંત શહીદ મહિપાલ સિંહને શ્રદ્ધાંજલિ પાઠવવા કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર અને મનિષ દોશી પહોંચ્યા હતા.
4/10

તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલી આપવા પહોચ્યા હતા.
5/10

શહીદના પત્ની પતિને અંતિમ વિદાઈ આપવા પહોંચતા જ વાતાવરણ ગમગીન થયું હતું અને ત્યાં હાજર સૌ કોઈની આંખો આંસુથી ભીજાઈ હતી.
6/10

શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી. તો બીજીતરફ 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ દિવસ હતો. તેમના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
7/10

હાલમા તેમના પત્ની ગર્ભવતી છે. સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલ સિંહ મા ભોગની રક્ષા કાજે શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલ અથડામણમાં 3 જવાનો શહીદ થયા હતા. તેમાના એક મહિપાલસિંહ વાળા પણ હતા.
8/10

વિરાટનગર નિવાસસ્થાને હિન્દુ વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
9/10

વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા.
10/10

પરિવારજનોની સાથે સાથે શહેરના હજારો લોકોએ શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Published at : 06 Aug 2023 06:22 PM (IST)
View More
Advertisement






















