શોધખોળ કરો

Kodinar : સંતાન પ્રાપ્તિ માટે આવેલી પરિણીતાને વિધિને નામે નિર્વસ્ત્ર કરી વૈદ્યે પરાણે માણ્યું શરીરસુખ ને....

કોડીનારના હરિ સોલંકી નામના વૈદ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પરિણીતાને સંતાન નહીં થતું હોઈ સાસુની સલાહથી આયુર્વેદિક ડોક્ટર પાસે ગઈને ફસાઈ.

કોડીનારઃ ગીર સોમનાથ જિલ્લામાં આર્યુવેદિક ડોક્ટરે નિસંતા પરિણીતાને સંતાન માટેની વિધિ કરવાના બહાને નિર્વસ્ત્ર કરીને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કોડીનારમાં આયુર્વેદિક ડોક્ટરે નિદાન કરવાને બદલે વિધિના નામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. 

કોડીનારના હરિ સોલંકી નામના વૈદ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પરિણીતાને સંતાન નહીં થતું હોઈ સાસુની સલાહથી આયુર્વેદિક ડોક્ટર પાસે ગઈને ફસાઈ. તાંત્રિક વિધીના બહાને લફંગાને પણ શરમાવે તેવું કૃત્ય વૈદ્યે કર્યું હતું. આ અંગેની વિગતો એવી છે કે, વૈદ્યે પરણીતાને કહ્યું કે, તમને કોઈકે ટુચકો કર્યો છે એટલે બાળક થતું નથી. આમ કહીને વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું. 

પોલીસ ફરિયાદ પ્રમાણે, કોડીનાર પંથકની પરણિતાના લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક ન થતા અનેક ડાક્ટરને બતાવ્યું હતું. જોકે,  કોઈ પરિણામ ન આવતા તેના સાસુએ કોડીનારમાં આયુર્વેદિક ડોકટર હરીભાઈ સોલંકીને ત્યાં નિદાન કરવાની સલાહ આપી હતી. આથી થોડા દિવસ પહેલા યુવતી તેની સાસુ સાથે ડોક્ટર હરીભાઈ સોલંકી પાસે ઘઈ હતી. જ્યાં તેમને તપાસીને ૧૦ દિવસની દવા આપી હતી. 

દવા પુરી થતા ફરી ડોક્ટર પાસે નિદાન માટે જતા ફરી તપાસી કોઈએ ટુચકો કર્યો હોવાથી બાળક ન થતું હોવાનું કહ્યું હતું. તેમજ તેમણે તાંત્રિક વિધિ કરવાનું કહીને  ૮ દિવસ પછી પાનેતર, લીંબુ, બીજી વસ્તુ લઇને આવવા કહ્યું હતું. તેમજ સમસ્યાનું નિવારણ કરવાની બાંહેધરી આપી હતી. આથી પરણિતા અને તેની સાસુ ગઈ કાલે બપોરે બધી વસ્તુઓ લઈને ડોક્ટર પાસે ગયા હતા.

આ સમયે ડોક્ટટરે યુવતીની સાસુને બહાર બેસાડ્યા હતા તેમજ યુવતીને રૂમમાં લઈ જઈ વિધિ કરવાનું કહીને કપડા કાઢીને પાનેતર પહેરી લેવા કહ્યું હતું. આથી યુવતીએ કપડાં કાઢી પાનેતર પહેરી લીધું હતું. આ પછી ડોક્ટરે યુવતીની કમરે દોરી બાંધીને કોઈ વિધિ કરી હતી તેમજ યુવતીને કાગળના પડીકા આપીને નદીમાં પધરાવી દેવાનું કહ્યું હતું. 

આ પછી ડોક્ટરે યુવતીના કપડા કાઢીને પોતે પણ નિર્વસ્ત્ર થઈ ગયો હતો અને મરજી વિરુદ્ધ પરાણે શરીરસુખ માણ્યું હતું. જોકે, યુવતીએ દવાખાને જ પરિવારજનોને ફોન કરી બોલાવતાં હોબાળો મચી ગયો હતો. આ પછી યુવતીના પરિવારજનો ડોક્ટરને કોડીનાર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડNadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસોSwaminarayan Sadhu Controversy: સુરતમાં મીડિયા સમક્ષ જ્ઞાનપ્રકાશના સાધકોની દાદાગીરીRahul Gandhi To Visit Gujarat: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget