શોધખોળ કરો

Kodinar : સંતાન પ્રાપ્તિ માટે આવેલી પરિણીતાને વિધિને નામે નિર્વસ્ત્ર કરી વૈદ્યે પરાણે માણ્યું શરીરસુખ ને....

કોડીનારના હરિ સોલંકી નામના વૈદ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પરિણીતાને સંતાન નહીં થતું હોઈ સાસુની સલાહથી આયુર્વેદિક ડોક્ટર પાસે ગઈને ફસાઈ.

કોડીનારઃ ગીર સોમનાથ જિલ્લામાં આર્યુવેદિક ડોક્ટરે નિસંતા પરિણીતાને સંતાન માટેની વિધિ કરવાના બહાને નિર્વસ્ત્ર કરીને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કોડીનારમાં આયુર્વેદિક ડોક્ટરે નિદાન કરવાને બદલે વિધિના નામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. 

કોડીનારના હરિ સોલંકી નામના વૈદ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પરિણીતાને સંતાન નહીં થતું હોઈ સાસુની સલાહથી આયુર્વેદિક ડોક્ટર પાસે ગઈને ફસાઈ. તાંત્રિક વિધીના બહાને લફંગાને પણ શરમાવે તેવું કૃત્ય વૈદ્યે કર્યું હતું. આ અંગેની વિગતો એવી છે કે, વૈદ્યે પરણીતાને કહ્યું કે, તમને કોઈકે ટુચકો કર્યો છે એટલે બાળક થતું નથી. આમ કહીને વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું. 

પોલીસ ફરિયાદ પ્રમાણે, કોડીનાર પંથકની પરણિતાના લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક ન થતા અનેક ડાક્ટરને બતાવ્યું હતું. જોકે,  કોઈ પરિણામ ન આવતા તેના સાસુએ કોડીનારમાં આયુર્વેદિક ડોકટર હરીભાઈ સોલંકીને ત્યાં નિદાન કરવાની સલાહ આપી હતી. આથી થોડા દિવસ પહેલા યુવતી તેની સાસુ સાથે ડોક્ટર હરીભાઈ સોલંકી પાસે ઘઈ હતી. જ્યાં તેમને તપાસીને ૧૦ દિવસની દવા આપી હતી. 

દવા પુરી થતા ફરી ડોક્ટર પાસે નિદાન માટે જતા ફરી તપાસી કોઈએ ટુચકો કર્યો હોવાથી બાળક ન થતું હોવાનું કહ્યું હતું. તેમજ તેમણે તાંત્રિક વિધિ કરવાનું કહીને  ૮ દિવસ પછી પાનેતર, લીંબુ, બીજી વસ્તુ લઇને આવવા કહ્યું હતું. તેમજ સમસ્યાનું નિવારણ કરવાની બાંહેધરી આપી હતી. આથી પરણિતા અને તેની સાસુ ગઈ કાલે બપોરે બધી વસ્તુઓ લઈને ડોક્ટર પાસે ગયા હતા.

આ સમયે ડોક્ટટરે યુવતીની સાસુને બહાર બેસાડ્યા હતા તેમજ યુવતીને રૂમમાં લઈ જઈ વિધિ કરવાનું કહીને કપડા કાઢીને પાનેતર પહેરી લેવા કહ્યું હતું. આથી યુવતીએ કપડાં કાઢી પાનેતર પહેરી લીધું હતું. આ પછી ડોક્ટરે યુવતીની કમરે દોરી બાંધીને કોઈ વિધિ કરી હતી તેમજ યુવતીને કાગળના પડીકા આપીને નદીમાં પધરાવી દેવાનું કહ્યું હતું. 

આ પછી ડોક્ટરે યુવતીના કપડા કાઢીને પોતે પણ નિર્વસ્ત્ર થઈ ગયો હતો અને મરજી વિરુદ્ધ પરાણે શરીરસુખ માણ્યું હતું. જોકે, યુવતીએ દવાખાને જ પરિવારજનોને ફોન કરી બોલાવતાં હોબાળો મચી ગયો હતો. આ પછી યુવતીના પરિવારજનો ડોક્ટરને કોડીનાર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Embed widget