શોધખોળ કરો
Nepal Earthquake: નેપાળમાં ભૂકંપથી 128 લોકોનાં મોત, 1000 ઘાયલ, જુઓ તબાહીની તસવીરો
Nepal Earthquake: નેપાળમાં શુક્રવારે (3 નવેમ્બર) મોડી રાત્રે 6.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

નેપાળ ભૂકંપ
1/8

એપીના અહેવાલ મુજબ નેપાળમાં ભૂકંપના કારણે ઓછામાં ઓછા 128 લોકોના મોત થયા છે અને લગભગ 1000 લોકો ઘાયલ થયા છે.
2/8

ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) અને ઉત્તર ભારતના કેટલાક અન્ય ભાગોમાં આંચકા અનુભવાયા હતા.
3/8

નેપાળના રુકુમ જિલ્લાના પોલીસ અધિકારી નામરાજ ભટ્ટરાઈએ ટેલિફોન દ્વારા એપીને જણાવ્યું કે ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે. આ સિવાય નેપાળના સ્થાનિક અધિકારી હરીશ ચંદ્ર શર્માએ રોયટર્સને જણાવ્યું કે જાજરકોટમાં ભૂકંપના કેન્દ્રમાં કોઈ સંપર્ક નથી. જો કે જિલ્લામાં 17 લોકોના મોતના સમાચાર છે. અને 20 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
4/8

યુએસ જીઓલોજિકલ સર્વે વિભાગે નેપાળમાં ભૂકંપની ઊંડાઈ માત્ર 18 કિલોમીટર હોવાનું જણાવ્યું છે. આ ભૂકંપ શુક્રવારે (3 નવેમ્બર) રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં રામીદાંડા હતું
5/8

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો અને ફોટામાં નેપાળમાં લોકો ધરાશાયી થયેલા ઘરો અને ઈમારતોના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને બહાર કાઢવા માટે અંધારામાં કાટમાળ ખોદી રહ્યા છે.
6/8

નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નારાયણ પ્રસાદ ભટ્ટરાઈએ જણાવ્યું હતું કે અમને જાણ છે કે ભૂકંપના કારણે બે જિલ્લામાં માનવ અને ભૌતિક નુકસાન થયું છે અને સુરક્ષા દળોને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.
7/8

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલે ભૂકંપના કારણે થયેલા માનવ અને ભૌતિક નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું.
8/8

આ પહેલા વર્ષ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 9,000 લોકોના મોત થયા હતા અને 22,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન 5 લાખથી વધુ મકાનો ધરાશાયી થયા હતા.
Published at : 04 Nov 2023 07:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ભાવનગર
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
